﻿WEBVTT  LA336 Gujarati

00:04:00.240 --> 00:04:09.320
<p>શ્રી નિયમસારજી પરમાગમ શાસ્ત્ર છે.
એનો શુદ્ધભાવ અધિકાર.

00:04:09.344 --> 00:04:18.840
અર્થાત્ શુદ્ધાત્માનો અધિકાર
અથવા ઉપાદેયનો અધિકાર છે.

00:04:18.864 --> 00:04:24.616
આત્મા ઉપાદેય છે એવો આત્મા,
આત્માને ઉપાદેય છે એવો અધિકાર છે.

00:04:24.640 --> 00:04:37.976
એની ગાથા ૪૯ પૂરી થઈ એના પછીનો
એક શ્લોક છે સમયસારનો  એ આવે છે.

00:04:38.000 --> 00:04:52.056
<p><b>જોકે વ્યવહારનય આ પ્રથમ ભૂમિકામાં
જેમણે પગ મૂક્યો છે. એવા જીવોને, અરેરે!
હસ્તાવલંબરૂપ ભલે હોય, </b>શું કહે છે?

00:04:52.080 --> 00:05:02.920
જોકે વ્યવહારનય એટલે ગુણ-ગુણીનો ભેદ,
જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા,
એમ પ્રથમ અનુભવ પહેલા,

00:05:03.080 --> 00:05:17.456
અનુમાનમાં શુદ્ધાત્માનો નિર્ણય કરવાની ભૂમિકા
જ્યારે હોય ત્યારે ભલે એ વ્યવહારનયનું
અવલંબન લઈને નિશ્ચય સુધી નિર્ણય કરે.

00:05:17.480 --> 00:05:26.176
તો પ્રથમ ભૂમિકામાં જેમણે પગ મૂક્યો છે એટલે
જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાનો કાળ પાકી ગયો છે,

00:05:26.200 --> 00:05:34.096
એવા જીવને પ્રથમ જ્ઞાન તે આત્મા,
દેખે તે આત્મા, જાણે તે આત્મા,

00:05:34.120 --> 00:05:43.696
એના દ્વારા એ દલીલ કરે છે એવા જીવોને પણ,
<b>અરેરે! હસ્તાવલંબરૂપ ભલે હોય</b>.

00:05:43.720 --> 00:05:49.856
<p>જેમ સીડી ઉપર ચડતાં,
ચડી ન શકાતું હોય તો ટેકો લે છે.

00:05:49.880 --> 00:05:57.936
ચૌદ પગથિયાની સીડી,
ટેકો લે છે પણ એ ટેકા લઈને પણ
ટેકો છોડીને આગળ વધે છે.

00:05:57.960 --> 00:06:06.536
ટેકો છોડવા માટે છે.
ટેકો લઈને ટેકા પાસે ઊભો રહે
તો આગળ વધે નહીં.

00:06:06.560 --> 00:06:14.136
એમ, જે શુદ્ધાત્માના સ્વરૂપને જાણતો નથી
એવો અનાદિનો અજ્ઞાની જીવ,

00:06:14.160 --> 00:06:23.536
પ્રથમ ભૂમિકામાં ભલે જાણે તે આત્મા,
દેખે તે આત્મા,
જાણનાર આત્મા છે કરનાર નથી.

00:06:23.560 --> 00:06:32.576
જાણનારો જણાય છે,
એવા ભેદથી ભલે નિર્ણય
કરે પણ અરેરે! આહાહા!

00:06:32.600 --> 00:06:41.656
અને હસ્તાવલંબ તુલ્ય ભલે કહ્યો હોય;
ટેકારૂપ ભલે વ્યવહારનયને નિશ્ચય સુધી
પહોંચવા કહ્યો હોય,

00:06:41.680 --> 00:06:52.856
<p><b>તોપણ, જે જીવો ચૈતન્યચમત્કાર માત્ર,
પરથી રહિત એવા પરમ પદાર્થને અંતરંગમાં દેખે છે.</b>

00:06:52.880 --> 00:07:03.176
એ ભેદનું લક્ષ છોડીને અભેદમાં જાય છે.
એવા જીવને એ વ્યવહારનય કાંઇ પ્રયોજનવાન નથી.

00:07:03.200 --> 00:07:09.696
<b>વ્યવહારનય કાંઇ નથી.</b>
એટલે અભેદની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી.

00:07:09.720 --> 00:07:18.376
ભેદ દ્વારા નિર્ણય થાય છે.
પણ ભેદ દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ થતો નથી.

00:07:18.400 --> 00:07:31.696
ભેદ દ્વારા જેમકે,
જીવવસ્તુ ઉપયોગ લક્ષણ વડે જીવને જાણે છે.
એમ જ્ઞાન દ્વારા આત્મા જણાય છે.

00:07:31.720 --> 00:07:43.736
એવો ભેદ ભલે પ્રથમ આવ્યો પણ જ્યાં
એ સાક્ષાત્ અભેદનો અનુભવ થાય છે,
ત્યાં એ ભેદનું લક્ષ છૂટી અભેદ થઈ જાય છે.

00:07:43.760 --> 00:07:52.896
<p>ત્યારે અરે! અરે! ખેદની વાત છે કે
જ્યારે આત્મા પ્રત્યક્ષ અનુભવ કરે છે
ત્યારે વ્યવહારનય કાંઇ નથી.

00:07:52.920 --> 00:08:03.536
એટલે વ્યવહારનું લક્ષ છૂટી જાય છે.
ભેદનું લક્ષ છૂટી અભેદનું લક્ષ થાય છે.
અરેરે! ખેદની વાત છે! ખેદ, આહાહા!

00:08:03.560 --> 00:08:09.336
આ ભેદ દ્વારા અભેદનું અનુમાન કરવું
એ ખેદ છે, એ સારું નથી.

00:08:09.360 --> 00:08:16.936
ઉપયોગમાં ઉપયોગ છે એ ખેદની વાત છે.

00:08:16.960 --> 00:08:28.320
રાગમાં તો આત્મા છે નહીં,
દેહમાં તો આત્મા છે નહીં,
એ તો વ્યવહાર જ નથી. આહાહા!

00:08:28.480 --> 00:08:36.216
એમાં તો નિશ્ચયસ્વરૂપનું અનુમાન પણ થતું નથી.
એમાં તો અજ્ઞાન દ્રઢ થઈ જાય છે.

00:08:36.240 --> 00:08:43.176
પણ ઉપયોગમાં ઉપયોગ છે,
અને ઉપયોગમાં ક્રોધાદિ નથી,

00:08:43.200 --> 00:08:53.136
એવા ભેદજ્ઞાનનો વિચાર કરી,
ભેદ દ્વારા અભેદનું અનુમાન કરે છે
અરેરે! એ પણ ખેદની વાત છે.

00:08:53.160 --> 00:08:56.496
<p>એ પણ વિકલ્પ છે, એમાં આત્માનો અનુભવ નથી.

00:08:56.520 --> 00:09:08.336
પણ એ ભેદનું લક્ષ છોડીને, જ્યારે પ્રત્યક્ષ
જ્ઞાયક ચિદાનંદ ભગવાન આત્માને અંતરમાં
દેખે છે, ત્યારે તે સમયે વ્યવહારનય કાંઇ નથી.

00:09:08.360 --> 00:09:12.376
એટલે કે ભેદનું લક્ષ છૂટી જાય છે, આહાહા!

00:09:12.400 --> 00:09:29.016
<b>તોપણ જે જીવો ચૈતન્યચમત્કારમાત્ર, પરથી રહિત</b>
અને પરિણામથી રહિત. પરિણામ માત્ર પર છે,
પરભાવ છે અને પરદ્રવ્યો છે, અહાહા!.

00:09:29.040 --> 00:09:34.576
આ જ્ઞાન તે આત્મા'
એ જ્ઞાન પરદ્રવ્ય છે.

00:09:34.600 --> 00:09:43.816
એ જ્ઞાન પર્યાય પણ પરદ્રવ્ય છે
અને ગુણ એ પણ પરદ્રવ્ય છે.

00:09:43.840 --> 00:09:51.456
કેમકે ગુણીમાં ગુણનો ભેદ કર્યો તો
તેને પરદ્રવ્ય કહેવામાં આવે છે.

00:09:51.480 --> 00:10:01.336
<p>૨૫૨ માં આવ્યું છે. શું કહ્યું?
કે ઉપયોગમાં ઉપયોગ છે
એટલે જ્ઞાનની પર્યાયમાં આત્મા છે.

00:10:01.360 --> 00:10:05.296
એ તો પર્યાય છે,
એ પર્યાયથી તો આત્મા રહિત છે.

00:10:05.320 --> 00:10:17.336
પણ જ્ઞાન તે આત્મા, એવો ગુણનો ભેદ કરે છે
એમાં પણ આત્માનો અનુભવ થતો નથી.
એ પણ વિકલ્પ છે

00:10:17.360 --> 00:10:26.296
અરે! અરે! પણ સીધો અનુભવ થતો નથી એટલે આત્માર્થી જીવને, મોક્ષાર્થી જીવને,

00:10:26.320 --> 00:10:33.096
સમ્યક્ સન્મુખ જીવને આટલો ભેદ
દ્વારા અભેદના નિર્ણયનો કાળ આવે છે.

00:10:33.120 --> 00:10:44.576
તો પણ જ્યારે અભેદમાં પહોંચે છે,
આહાહા! ત્યારે જ્ઞાન તે આત્મા
એવા ભેદ અને ભેદના લક્ષવાળો વિકલ્પ

00:10:44.600 --> 00:10:51.376
અને ઇન્દ્રિયજ્ઞાન, અનુમાન જ્ઞાન,
માનસિક જ્ઞાનનો અભાવ થઈને
અનુભવ થાય છે, આહાહા!

00:10:51.400 --> 00:10:54.696
તે સમયે વ્યવહારનય કાંઇ નથી, આહાહા!

00:10:54.720 --> 00:11:04.336
<p>તે સમયે વ્યવહારનય કાંઇ નથી
અને જ્યાંસુધી અભેદમાં ન પહોંચે
ત્યાંસુધી ભેદની અધિકતા ન હોય.

00:11:04.360 --> 00:11:13.656
જ્ઞાન તે આત્માનો વિચાર આવે
પણ સમજે કે જ્ઞાન તે આત્મા નથી.

00:11:13.680 --> 00:11:18.936
જ્ઞાનગુણ પણ પરદ્રવ્ય છે અને
જ્ઞાન ઉપયોગ પણ પરદ્રવ્ય છે.

00:11:18.960 --> 00:11:26.536
એ ક્યાં લખ્યું હશે? કે જ્ઞાનગુણ પરદ્રવ્ય છે
એ ૨૫૨ કળશમાં લખ્યું છે, કળશ ટીકાકારે.

00:11:26.560 --> 00:11:34.336
અને ઉપયોગ પરદ્રવ્ય છે એ ક્યાં લખ્યું છે?
કે ૫૦ નંબરની ગાથામાં હમણાં
આજ આવવાનું છે, આહાહા!

00:11:34.360 --> 00:11:37.496
<p>પર્યાય માત્ર પરદ્રવ્ય છે. આવશે હમણાં.

00:11:37.520 --> 00:11:45.776
એ ગુણભેદ અને પર્યાયભેદને ઓળંગી અને
અભેદ, સામાન્ય, ટાંકોત્કીર્ણ, આહાહા!

00:11:45.800 --> 00:11:51.456
એ દ્રષ્ટિમાં જ્ઞાયક અભેદ સામાન્ય
જણાય છે, બીજું કાંઇ હવે  જણાતું નથી.

00:11:51.480 --> 00:12:00.536
એ સમયે જયારે આવે છે ત્યારે
ભેદરૂપ વ્યવહાર હોતો નથી.
એટલે વ્યવહાર કાંઇ છે નહીં.

00:12:00.560 --> 00:12:07.016
વ્યવહારનો લોપ થઈ ગયો. કે
વ્યવહારનો લોપ કરો છો? કે હાં!
(વ્યવહારનો) લોપ કર તો નિશ્ચયની પ્રાપ્તિ થશે.

00:12:07.040 --> 00:12:13.176
જ્યાંસુધી વ્યવહારમાં ઊભો રહીશ
ત્યાંસુધી નિશ્ચય હાથમાં નહીં આવે.

00:12:13.200 --> 00:12:18.336
લોપ કરો છો? કે હાં!
સર્વજ્ઞ ભગવાને લોપ કરવાનું કહ્યું છે.

00:12:18.360 --> 00:12:27.096
એમ લખે છે વ્યવહારનય કાંઇ નથી.
અનુભવના કાળે ભેદનું લક્ષ છૂટી જાય છે.
એ કળશ થયો.

00:12:27.120 --> 00:12:30.856
<p>હવે બીજો કળશ, આહાહા!

00:12:30.880 --> 00:12:42.256
આ પાંચ નંબરના કળશમાં કળશ ટીકાકારે
આ ભેદ દ્વારા અભેદનું અનુમાન થાય છે,
એ વાત એણે લીધી છે.

00:12:42.280 --> 00:12:47.416
કળશ ટીકાકારે પાંચ નંબરના કળશમાં
એમ લીધું છે.

00:12:47.440 --> 00:12:50.936
દેહ તે આત્મા અને રાગ તે આત્મા
એ તો છે જ નહીં વાત.

00:12:50.960 --> 00:13:00.536
એ તો સ્થૂળ બિલકુલ જે અજાણ હોય તત્વનો,
એના માટે મોક્ષમાર્ગ પ્રકાશક કર્તાએ પણ લીધું છે.
અને લઈ શકાય છે.

00:13:00.560 --> 00:13:07.856
પણ જ્યારે અધ્યાત્મની વાતમાં આવ્યો
ત્યારે ગુણ અને ગુણીનો ભેદ તેટલો વ્યવહાર છે.

00:13:07.880 --> 00:13:18.416
રાગ અભેદનો ભેદ નથી,
માટે રાગ આત્માને અનુભવમાં તો કામ નથી આવતો
પણ અનુમાનમાંએ કામ નથી આવતો.

00:13:18.440 --> 00:13:27.336
આહાહા! કેમકે રાગ તો જડ છે.
જડ દ્વારા આત્માનું અનુમાન ન થાય.
જ્ઞાન દ્વારા આત્માનું અનુમાન થાય.

00:13:27.360 --> 00:13:35.616
અનુભવ વખતે ગુણભેદ પણ દેખાતો નથી.
વ્યવહારનય કાંઇ નથી, આહાહા!
વ્યવહારનય છે જ નહીં, આહાહા!

00:13:35.640 --> 00:13:47.776
<p>હવે, ૭૩ નંબરનો કળશ. ટીકાકાર પોતે કહે છે.
હવે ઓલો અમૃતચંદ્રાચાર્યનો શ્લોકનો આધાર આપે છે.

00:13:47.800 --> 00:13:59.096
સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં
પાંચમા શ્લોક દ્વારા, લ્યો!
આ એ જ શ્લોક છે. પાંચમો શ્લોક.

00:13:59.120 --> 00:14:04.496
...એ જ નીકળ્યો.
પાંચમો શ્લોક સમયસારમાં છેને? એ જ છે.

00:14:04.520 --> 00:14:10.656
પણ એનો વધારે સારો અર્થ ખોલ્યો છે.
કળશ ટીકાકારે. સારો અર્થ કર્યો છે.

00:14:10.680 --> 00:14:17.696
<p>મુમુક્ષુ:- એમાં લીધું છે, ગુણ ગુણીનો ભેદ
એ જ્ઞાન ઉપજવાનું એક અંશ છે.
ઉત્તર:- અંશ છે. અંગ છે-અંગ છે.

00:14:17.720 --> 00:14:21.936
તો પણ અનુભવકાળમાં કાંઇ નથી.

00:14:21.960 --> 00:14:28.576
એ કળશ, જ્યારે બાબુભાઇ ફતેહપુરવાળા
સંઘ લઈને દક્ષિણમાં ગયા હતા

00:14:28.600 --> 00:14:35.656
અને ગુરુદેવ ત્યાં બેંગલોર પધાર્યા, ત્યારે હું પણ ત્યાં હતો બેંગલોર પ્રતિષ્ઠા વખતે,

00:14:35.680 --> 00:14:43.296
ત્યારે આખો સંઘ આવ્યો તો
અને સવારના બાબુભાઇએ કહયું કે

00:14:43.320 --> 00:14:51.016
તમે આ કાંઈક લ્યો સવારના, કલાક,
કારણ કે અહીંયા પ્રવૃત્તિ તો
બીજી કાંઇ હોય નહીં.

00:14:51.040 --> 00:14:56.096
<p>એટલે ગુરુદેવના વ્યાખ્યાન પછી
મેં આ પાંચમો કળશ લીધો હતો.

00:14:56.120 --> 00:15:09.536
એ  પાંચમો કળશ લીધો ત્યારે હીરાભાઈ
દહેગામવાળા બોલ્યા, કે જાત્રા, આટલો
ટાઈમ જાત્રા પછી આજે સંતોષ થયો.

00:15:09.560 --> 00:15:22.896
પાંચમો કળશ. કળશ ટીકામાંથી લીધું હતું.
‘ગુણ-ગુણીનો ભેદ પણ
એ જ્ઞાન ઉપજવાનું એક અંગ છે.’

00:15:22.920 --> 00:15:28.296
વ્યવહાર – વ્યવહાર અંગ, આહાહા!
એ વ્યવહાર છે.

00:15:28.320 --> 00:15:36.536
રાગ ને દેહ ને કર્મ, એતો વ્યવહાર છે
જ નહીં કેમકે એ જાત જુદી છે, કજાત છે.

00:15:36.560 --> 00:15:40.056
<p>મુમુક્ષુ:- એ તો ભિન્ન વસ્તુ છે.
<p>ઉત્તર:- એ તો ભિન્ન વસ્તુ છે. એ તો જડ છે.

00:15:40.080 --> 00:15:45.576
જડમાં ચેતનનું અનુમાન ક્યાંથી થાય?
અનુભવ તો ન થાય પણ અનુમાન ન થાય.

00:15:45.600 --> 00:15:56.016
અનુમાન થાય, ગળી તે સાકર,
ઘોળી તે સાકર, પીળું તે સોનું.
એના દ્વારા સોનાનું અનુમાન થઈ શકે.

00:15:56.040 --> 00:16:00.776
એમ જ્ઞાન તે આત્મા,
જાણે તે આત્મા, દેખે તે આત્મા, આહાહા!

00:16:00.800 --> 00:16:13.976
<b>‘जानूँ मैं जाननहारा, देखूँ मैं देखनहारा'</b>,
એટલો ભેદ આવે એ પણ
અનુભવના કાળે વ્યવહાર કાંઇ છે જ નહીં,

00:16:14.000 --> 00:16:21.696
આહાહા! ૭૩ નંબરનો કળશ, બોલો બેન.

00:16:21.720 --> 00:16:40.256
<p><b>शुद्धनिश्चयनयेन विमुक्तौ</b>
<p><b>संसृतावपि च नास्ति विशेषः।</b>

00:16:40.280 --> 00:16:58.056
<p><b>एवमेव खलु तत्त्वविचारे</b>
<p><b>शुद्धतत्त्वरसिकाः प्रवदन्ति ।।७३।।</b>

00:16:58.080 --> 00:17:10.096
<p>૪૮ નંબરની ગાથાનો જે આપણે જે સ્વાધ્યાય
થયો કે સંસારી જીવ અને સિદ્ધ જીવમાં
કાંઇ તફાવત નથી એનો લગતો જ આ એક કળશ છે.

00:17:10.120 --> 00:17:20.736
<p>શુદ્ધનિશ્ચયનયથી એટલે જ્ઞાનને
અંતરમાં વાળીને શુદ્ધ આત્માને
જ્યારે જોવામાં આવે છે ત્યારે,આહાહા!

00:17:20.760 --> 00:17:27.136
મારામાં અને સિદ્ધમાં કાંઇ તફાવત
મને લાગતો નથી, આહાહા!

00:17:27.160 --> 00:17:33.856
શાસ્ત્ર સન્મુખના જ્ઞાનથી તફાવત લાગશે.
વિકલ્પથી તફાવત લાગશે.

00:17:33.880 --> 00:17:39.896
ઇન્દ્રિયજ્ઞાનથી તફાવત લાગશે.
અનુમાનમાં ઊભો રહેશે તો તફાવત લાગશે.

00:17:39.920 --> 00:17:48.616
પણ શુદ્ધ નિશ્ચયનયથી એટલે જ્ઞાનને
અંદરમાં વાળીને, એ ઉપયોગને
ઉપયોગમાં જોડતાં શુદ્ધઉપયોગ થાય,

00:17:48.640 --> 00:17:58.656
ઉપયોગને ઉપયોગમાં જોડતાં,
ઉપયોગમાં ઉપયોગ તો છે,
પણ ઉપયોગને ઉપયોગમાં જ્યારે જોડી દયે છે,

00:17:58.680 --> 00:18:06.536
ત્યારે શુદ્ધ ઉપયોગની દશા થઈ,
ત્યારે શુદ્ધ નિશ્ચયનયથી જોવામાં
આવે તો,  જોઉં છું મારા આત્માને,

00:18:06.560 --> 00:18:13.336
તો મારામાં અને સિદ્ધમાં કાંઇ તફાવત
અત્યારે મને લાગતો નથી, આહાહા!

00:18:13.360 --> 00:18:23.256
જેવો સિદ્ધનો આત્મા, તેવો મારો આત્મા,
અને જેવો નિગોદમાં, એવો સિદ્ધમાં,
અને એવો મારામાં, કાંઇ તફાવત નથી.

00:18:23.280 --> 00:18:26.976
કાલે બોલ્યા તા શ્લોક, આહાહા!
નિગોદ મંજાર, શું?

00:18:27.000 --> 00:18:35.736
<p>મુમુક્ષુ :- <b>जो निगोद में
सो ही मुझमें सो ही मोक्ष मँझार,
निश्चय भेद कछु है नाहीं, भेद गिने संसार।</b>

00:18:35.760 --> 00:18:39.736
<p>ઉત્તર :- <b>कछु है नाहीं, भेद गिने (संसार)।</b>

00:18:39.760 --> 00:18:51.496
નિગોદમાં, સિદ્ધમાં અને પોતામાં ભેદ નથી,
છતાં ભેદ ગણે તો સંસાર,
એટલે મિથ્યાત્વ, અજ્ઞાન, આહાહા!

00:18:51.520 --> 00:19:00.776
ત્રણે જગ્યાએ આત્મા તો ચિદાનંદ
જ્ઞાયક પરમાત્મા બિરાજમાન છે.
એ કહે છે.

00:19:00.800 --> 00:19:10.576
<b>શુદ્ધનિશ્ચયનયથી</b> એટલે
અંતર્મુખ જ્ઞાયક તરફ નજર કરીને,
ઉપયોગમાં ઉપયોગને જોડીને,

00:19:10.600 --> 00:19:14.216
એકાગ્ર થઈને શુદ્ધ ઉપયોગ દશા પ્રગટ થાય

00:19:14.240 --> 00:19:25.856
એવી દશામાં જોવામાં આવે તો
મુક્તિમાં, મોક્ષમાં, તેમજ સંસારમાં,
આહાહા! તફાવત નથી.

00:19:25.880 --> 00:19:33.216
એ બે પર્યાયનો તફાવત છે પણ
બેયની પર્યાયમાં શુદ્ધાત્મા છે,
એમાં તફાવત નથી, આહાહા!

00:19:33.240 --> 00:19:39.256
સોનાના બે ઘાટ હોય સોનાના,
એક બંગડી અને એક હાર.

00:19:39.280 --> 00:19:51.136
પણ એ બંગડીનો ઘાટ અને હારનો ઘાટ
ન જુઓ તો બેયમાં સોનું-સોનું જ છે,
ઘાટ દેખાતો નથી.

00:19:51.160 --> 00:19:59.376
એમ ભગવાન આત્મામાં દ્રષ્ટિ અંદરમાં ગઈ,
મારામાં અને મોક્ષમા કાંઇ મને તફાવત નથી.

00:19:59.400 --> 00:20:09.016
કેમકે અભેદના લક્ષ જતાં
પોતાના પરિણામનો ભેદ દેખાતો નથી
અને સિદ્ધ પર્યાયનો ભેદ પણ દેખાતો નથી.

00:20:09.040 --> 00:20:17.256
બેય સરખા છે, આહાહા!
સિદ્ધ પરમાત્મા, એનો આત્મા અને
મારો આત્મા બેય સરખા છે.

00:20:17.280 --> 00:20:22.096
એના જેવો હું છું પછી
મારા જેવા એ છે.

00:20:22.120 --> 00:20:32.616
<p>એના જેવો હું છું પ્રથમ, નિમિત્ત નમૂનો.
હે ભગવાન! આપના જેવો જ મારો સ્વભાવ છે.

00:20:32.640 --> 00:20:39.656
અને જ્યાં અનુભવ કર્યો અને
અનુભવની બહાર નીકળ્યો
અરે! મારા જેવા આપ છો.

00:20:39.680 --> 00:20:47.496
આપના જેવો હું નહીં.
જેવો મારો આત્મા છેને એવા આપ છો.

00:20:47.520 --> 00:20:51.656
ઉપાદાનનું જોર જોઈ લેજો.
નિમિત્ત ગૌણ થઈ ગયું.

00:20:51.680 --> 00:20:55.416
પહેલા નિમિત્તની મુખ્યતાથી,
આહાહા!

00:20:55.440 --> 00:21:04.936
બાળક હતો, ત્યાં સુધી, અનુભવ નહોતો
ત્યાં સુધી પ્રભુ! જેવા આપ પરમાત્મા છોને
એવો હું છું, આહાહા!

00:21:04.960 --> 00:21:19.856
પછી જ્યાં અનુભવ થયો, અરે! આહાહા!
આજ તો મને, આપના જેવો અનુભવ થયો
તો હું જેવો છું એવા આપ છો, આહાહા! આખી વાત ફરી.

00:21:19.880 --> 00:21:36.376
<p><b>'શુદ્ધ નિશ્ચયનયથી મુક્તિમાં જ
તેમજ સંસારમાં તફાવત નથી;’</b>
તફાવત ગિને સંસારી, તફાવત ગિને તે (સંસારી).

00:21:36.400 --> 00:21:42.336
શું કહો છો?
આ નિગોદમાં અને સિદ્ધના આત્મામાં
કાંઇ તફાવત નથી?

00:21:42.360 --> 00:21:48.256
આત્મામાં તફાવત નથી,
એમ અમે કહીએ છીએ.
અમારી વાત ધ્યાન દઈને જરા સાંભળ.

00:21:48.280 --> 00:21:54.376
પર્યાયમાં તફાવત નથી, એમ અમે કહેતા નથી.
તું સાંભળતો જ નથી.

00:21:54.400 --> 00:22:00.536
અમે પર્યાયમાં તફાવત નથી
એવું અમારી વાણી ક્યાં નીકળી?

00:22:00.560 --> 00:22:09.216
અમે કહીએ છીએ કે બેયના આત્મામાં તફાવત નથી,
આહાહા! અનાત્મામાં ભલે તફાવત હોય
પણ આત્મામાં તફાવત નથી.

00:22:09.240 --> 00:22:14.736
<p>પરદ્રવ્યમાં ભલે તફાવત હો,
પણ સ્વદ્રવ્યમાં તફાવત નથી. આહાહા!

00:22:14.760 --> 00:22:18.296
સિદ્ધની પર્યાય પણ પરદ્રવ્ય
અને અહીંની પર્યાય પણ પરદ્રવ્ય.

00:22:18.320 --> 00:22:22.856
પરદ્રવ્યમાં ભલે તફાવત હોય પણ
સ્વદ્રવ્યમાં મને અને એને તફાવત નથી.

00:22:22.880 --> 00:22:34.536
તફાવત ગિને એટલે સંસારી.
સામાન્યને જોને? અહીંનું સામાન્ય
અને ત્યાંનું સામાન્ય બેય સરખું છે.

00:22:34.560 --> 00:22:39.776
પછી જરાક જ્ઞાન લંબાવીશ તો
પર્યાય પણ તને સરખી દેખાશે, આહાહા!

00:22:39.800 --> 00:22:51.096
<b>શુદ્ધનયથી મુક્તિમાં તેમ જ સંસારમાં
તફાવત નથી. આમ જ ખરેખર, તત્ત્વ વિચારતાં</b>

00:22:51.120 --> 00:22:54.816
એટલે તત્ત્વનો અનુભવ કરતાં,
વિચારતાં એટલે અનુભવ,

00:22:54.840 --> 00:23:01.936
'કર વિચાર તો પામ' જ્ઞાન વિચાર
એટલે જ્ઞાન, અતીન્દ્રિય જ્ઞાન.
વિચાર એટલે માનસિક જ્ઞાન નહીં.

00:23:01.960 --> 00:23:09.296
<p><b>તત્ત્વ વિચારતાં (-પરમાર્થ વસ્તુ
સ્વરૂપનો વિચાર અથવા નિરૂપણ કરતાં),</b>

00:23:09.320 --> 00:23:17.896
અથવા અનુભવ કરતાં,
<b>શુદ્ધ તત્ત્વના રસિક પુરુષો કહે છે. ૭૩.</b>
મારામાં અને મુક્તિમાં તફાવત નથી.

00:23:17.920 --> 00:23:28.936
જેવો મારો આત્મા છે, આહાહા!
બે પ્રકારના સોના છે. એક બંગડીનો અને
એક પોંચીનો. બેયમાં સોનામાં તફાવત નથી.

00:23:28.960 --> 00:23:39.216
પણ તફાવત દેખાય છેને?
તું એકવાર મારી વાત સાંભળ,
કે સોનામાં તફાવત નથી.

00:23:39.240 --> 00:23:45.856
મેં એમ ક્યાં કહ્યું કે ઘાટમાં તફાવત નથી.
તું ઘાટને સોનું માની રહ્યો છો.

00:23:45.880 --> 00:23:57.536
અમે તો કહીએ કે સોનામાં ઘાટ હોય નહીં
તેથી બેય સોનું સરખું છે. ઘાટને ન જો.
સોનાને સામાન્યને જો બેયમાં, આહાહા!

00:23:57.560 --> 00:24:02.856
<p>મુમુક્ષુ:- કેમકે ઘાટ તે સોનું નથી.
<p>ઉત્તર:- નથી, આહાહા!

00:24:02.880 --> 00:24:12.016
<b>(-પરમાર્થ સ્વરૂપ વિચાર કરતાં,
નિરૂપણ કરતાં) શુદ્ધ તત્ત્વના રસિક પુરુષો,</b> આહાહા!

00:24:12.040 --> 00:24:21.336
શુદ્ધાત્માના રસિલા, અનુભવી પુરુષો,
આમ કહે છે કે અમારામાં અને
સિદ્ધમાં કોઈ તફાવત નથી.

00:24:21.360 --> 00:24:28.216
હે ભવ્ય આત્માઓ!
તમે તમારી પર્યાયને અને સિદ્ધની પર્યાયને ન જુઓ.

00:24:28.240 --> 00:24:34.656
તમારી પર્યાય ગૌણ કરો અને
એની પર્યાય પણ ગૌણ કરો,

00:24:34.680 --> 00:24:39.496
તો બેયનો આત્મા સમાન
સિદ્ધ જેવો અત્યારે બિરાજમાન છે.

00:24:39.520 --> 00:24:47.376
લ્યો! આટલી વાત થઈ.
હવે ૫૦ નંબરની આવે છે,
ગાથા ઊંચામાં ઊંચી છે. આહાહા!

00:24:47.400 --> 00:24:54.976
આ વખતનું કલોસન્ગ (closing) થાય છે.
બે મહિના થયા.

00:24:55.000 --> 00:25:08.296
આપણે, પરમ દિવસે જવાનું છે, એટલે
હરખજમણ છે, હરખજમણ.
બે મહિના પછી હરખજમણ આવે છે. આહાહા!

00:25:08.320 --> 00:25:20.576
હરખજમણ કહેવાયને? અહાહા! હરખજમણમાં
બદામનો મેસૂબ, લોટનો મેસૂબ નહીં
ને અડદિયા જામનગરના નહીં, આહાહા!

00:25:20.600 --> 00:25:29.236
શારદાબેનનો મેસૂબ નહીં, લોટનો ચણાનો.

00:25:29.360 --> 00:25:38.976
આ તો બદામના મેસૂબની અત્યારે વાત ચાલે છે.
ઇ મેસૂબ બનાવીને લઈ આવે છે ને આ અડદિયા લાવે છે
... આહાહા!

00:25:39.000 --> 00:25:45.576
<p>પ્રભુ સાંભળ!
તારા ભવના અંતની વાત હું કરું છું.
ધ્યાન દઈને સાંભળજે.

00:25:45.600 --> 00:25:50.856
તું પર્યાય પર નજર રાખીશ,
તો આ નહીં સમજાય તને.

00:25:50.880 --> 00:25:56.176
પર્યાયને ગૌણ કર. પર્યાયને પર્યાયમાં રહેવા દે.

00:25:56.200 --> 00:26:03.176
પર્યાયની અસ્તિ પણ મારામાં નાસ્તિ.
એવી મારી અસ્તિ. અસ્તિ ઉપર આવી જાને.

00:26:03.200 --> 00:26:13.776
અસ્તિની મસ્તી તને, આહાહા!
એવી ૫૦ નંબરની ગાથા,
બદામના મેસૂબની. હરખજમણની ગાથા આવે છે.

00:26:13.800 --> 00:26:31.536
<p><b>पुव्वुत्तसयलभावा परदव्वं परसहावमिदि हेयं।</b>
<p><b>सगदव्वमुवादेयं अंतरतच्चं हवे अप्पा।।५०।।</b>

00:26:31.560 --> 00:26:55.376
<p><b>પૂર્વોક્ત ભાવો પર-દરવ પરભાવ, તેથી હેય છે;</b>
<p><b>આત્મા જ છે આદેય, અંતઃતત્વરૂપ નિજદ્રવ્ય જે. ૫૦.</b>

00:26:55.400 --> 00:27:04.776
<p>આહાહા! એક શુદ્ધાત્મા ઉપાદેય છે.
બાકી બધા પરભાવો હોવાથી પરદ્રવ્ય છે, પ્રભુ!

00:27:04.800 --> 00:27:16.736
<b>અન્વયાર્થ:- પૂર્વોકત સર્વ ભાવો,</b> આહાહા!
ચાર ભાવો મુખ્યપણે, ઉદય, ઉપશમ,
ક્ષય, અને ક્ષયોપશમ, અહાહા!

00:27:16.760 --> 00:27:26.056
એ, <b>પૂર્વોકત સર્વ ભાવો પરસ્વભાવો છે.</b>
આત્મસ્વભાવો નથી. આત્માનો સ્વભાવ નથી.

00:27:26.080 --> 00:27:33.056
પરિણામને પરસ્વભાવ કહે છે.
અને ત્રિકાળી દ્રવ્યને સ્વસ્વભાવ કહે છે

00:27:33.080 --> 00:27:44.976
અને પર પર્યાયો પરસ્વભાવ હોવાથી,
એ <b>પરદ્રવ્ય છે</b>, આહાહા!
અને <b>પરદ્રવ્ય છે તેથી હેય છે</b>.

00:27:45.000 --> 00:27:52.776
પરસ્વભાવ છે, પરભાવ છે,
પરભાવ હોવાથી પરદ્રવ્ય છે,
પરદ્રવ્ય હોવાથી હેય છે.

00:27:52.800 --> 00:28:00.656
એનું લક્ષ કરવા યોગ નથી.
હેય છે એનો અર્થ શું?
કે એનું જાણવું બંધ કરી દે, આહાહા!

00:28:00.680 --> 00:28:08.616
<p>પરિણામ છે પણ પરિણામની
સામે જોવાનું બંધ કરી દે, એનું નામ હેય.

00:28:08.640 --> 00:28:15.736
એ પર્યાયને કટકો કરીને અલોકમાં
પાર્સલ કરી દેવો પોષ્ટ ઓફિસમાં જઈને,
એમ નથી કહેવાનો આશય.

00:28:15.760 --> 00:28:18.576
પરિણામને પરિણામમાં રહેવા દે, આહાહા!

00:28:18.600 --> 00:28:24.456
પરદ્રવ્યને પરદ્રવ્યમાં રહેવા દે
અને સ્વદ્રવ્યનું અવલંબન લઈ લે, આહાહા!

00:28:24.480 --> 00:28:30.856
દેહને દેહમાં રહેવા દે.
કર્મને કર્મમાં રહેવા દે, એ તો સ્થૂળ.

00:28:30.880 --> 00:28:37.896
પણ પરિણામ જે પ્રગટ થાય છે સમયે-સમયે,
એ પ્રગટ થાય છે એ પરભાવ છે.

00:28:37.920 --> 00:28:45.216
અને પ્રગટ થાય છે માટે તે પરદ્રવ્ય છે.
અને જે પ્રગટ છે તે સ્વદ્રવ્ય છે, આહાહા!

00:28:45.240 --> 00:28:50.536
એક પ્રગટ છે અને અનેક ભાવો પ્રગટ થાય છે.

00:28:50.560 --> 00:28:57.936
પ્રગટ થાય ને નાશ થાય, પ્રગટ થાય ને
નાશ થાય, પ્રગટ થાય ને નાશ થાય અને
એક પ્રગટ છે-છે-છે-છે, અવિનાશી. આહાહા!

00:28:57.960 --> 00:29:08.376
<p><b>તેથી હેય છે. અંત:તત્ત્વ એવું સ્વદ્રવ્ય</b> લ્યો! પરદ્રવ્ય અને સ્વદ્રવ્યની વહેંચણી.

00:29:08.400 --> 00:29:14.296
સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની વહેંચણી, વિભાવ, આહાહા!

00:29:14.320 --> 00:29:25.736
<b>અંત:તત્ત્વ એવું સ્વદ્રવ્ય-આત્મા-ઉપાદેય છે.</b>
એ સાતે તત્ત્વના સમૂહને પરદ્રવ્ય કહ્યું હતું.

00:29:25.760 --> 00:29:35.816
તો કાઢો ૩૮મી ગાથા. જરા જોઈ લઈએ.
આની સાથે મેળવવા જેવી છે? ૩૮ ને ૫૦
બેય ગાથામાં માલ બધો ભર્યો છે, આહાહા!

00:29:35.840 --> 00:29:55.696
<b>જીવાદિ બાહ્યતત્ત્વ હેય છે;</b> આહાહા!
<b>જીવાદિ બાહ્યતત્ત્વ હેય છે;</b>

00:29:55.720 --> 00:30:03.736
<b>કર્મોપાધિજનિત ગુણપર્યાયોથી વ્યતિરિકત</b> રહિત
<b>આત્મા આત્માને  ઉપાદેય છે.</b> આહાહા!

00:30:03.760 --> 00:30:17.736
<p>ટીકાકાર કહે છે:- <b>જીવાદિ સાત તત્ત્વોનો
સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે</b>,
મોક્ષની પર્યાય પરદ્રવ્ય છે.

00:30:17.760 --> 00:30:28.936
તારો શુભભાવ તો ક્યાંયનો ક્યાંય રહ્યો,
આહાહા! આ જાત્રા અને ભગવાનની પુજા
અને દાન અને શિયળ(-શીલ) અને તપ અને

00:30:28.960 --> 00:30:39.456
બ્રહ્મચર્ય અને સામાયિક અને પ્રતિક્રમણ,
પ્રત્યાખ્યાન અને આલોચના
આહાહા! એતો શુભભાવ છે, પ્રભુ!

00:30:39.480 --> 00:30:43.776
એતો શુભભાવ તો પરદ્રવ્ય છે, હેય છે

00:30:43.800 --> 00:30:49.256
પણ સંવર, નિર્જરા અને મોક્ષની
પર્યાયના જે ભેદો ઉત્પન્ન થાય છે,

00:30:49.280 --> 00:30:58.416
એ પણ, આહાહા! બહિર્તત્ત્વ હોવાને કારણે
પરદ્રવ્ય છે અને પરદ્રવ્ય હોવાને કારણે
ઉપાદેય નથી, એટલે હેય છે, આહાહા!

00:30:58.440 --> 00:31:05.016
કુંદકુંદ ભગવાને હેય કહ્યું
આણે કહ્યું ઉપાદેય નથી.
એકની એક વાત.

00:31:05.040 --> 00:31:11.856
<p>હેય છે એમ કહ્યું, જુઓ! છેને ૩૮ મી ગાથામાં,
<b>જીવાદિ બાહ્ય તત્ત્વ હેય છે.</b>

00:31:11.880 --> 00:31:15.976
કુંદકુંદ ભગવાને હેય કહ્યું.
ટીકાકાર શું કહે છે?

00:31:16.000 --> 00:31:23.336
કે <b>જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ પરદ્રવ્ય
હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી</b>, આહાહા!

00:31:23.360 --> 00:31:39.856
બોલો! સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો નવતત્ત્વ
નિમિત છે. ઉપાદાન નથી. શું કહ્યું?

00:31:39.880 --> 00:31:48.416
<b>'तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्’</b>,
નવતત્ત્વનું શ્રદ્ધાન તેને
સમ્યગ્દર્શન કહેવામાં આવે છે,

00:31:48.440 --> 00:31:55.216
પણ સાત તત્ત્વ અથવા નવ પદાર્થ
એ ઉપાદાન નથી,
એનો આશ્રય કરવા યોગ્ય નથી.

00:31:55.240 --> 00:32:00.816
એ નિમિત્ત છે
અને ત્રિકાળીસ્વભાવ ઉપાદાન છે.

00:32:00.840 --> 00:32:07.576
પર્યાય છે તે નિમિત્ત છે.
નિમિત્ત એટલે સંયોગ છે, સ્વભાવ નથી.

00:32:07.600 --> 00:32:13.976
<p>બહિર્તત્ત્વ હોવાને કારણે એ સંયોગ છે
અને અંત:તત્ત્વ તે સ્વભાવ છે.

00:32:14.000 --> 00:32:20.976
એક સ્વભાવ છે અને એક પરભાવ છે.
એક અંત:તત્ત્વ છે અને એક બહિર્તત્ત્વ છે.

00:32:21.000 --> 00:32:26.856
એક શુદ્ધાત્મા ઉપાદેય છે અને
સાત તત્ત્વોના ભેદો હેય છે, આહાહા!

00:32:26.880 --> 00:32:36.736
અંદરને અંદરમાં છે. સાત તત્ત્વ નિમિત્ત છે.
નિમિત્ત એટલે પરયોગને નિમિત્ત કહેવામાં આવે છે.

00:32:36.760 --> 00:32:42.976
પરિણામનું નામ નિમિત્ત છે.
દ્રવ્યનું નામ ઉપાદાન છે.

00:32:43.000 --> 00:32:51.656
અહીંયાં પર્યાયને ક્ષણિક ઉપાદાન કહેતા નથી.
કેમકે એ પરદ્રવ્ય છે માટે ક્ષણિક ઉપાદાન નથી.

00:32:51.680 --> 00:32:59.216
<p>મુમુક્ષુ:- બરાબર! પરદ્રવ્યને જ નિમિત્ત કહેવાય.
<p>ઉત્તર:- આ તો હરખજમણ છે આજની.

00:32:59.240 --> 00:33:10.136
ગોસરભાઈ કહે એકદમ જેટલું
સૂક્ષ્મ હોય ને એટલું હવે કહી દેજો.

00:33:10.160 --> 00:33:20.856
પછી ત્યારે યોગ થાય ન થાય, એ તો,
આહાહા! સ્વકાળને આધીન છે.
આત્માને આધીન નથી, આહાહા!

00:33:20.880 --> 00:33:30.096
રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં લખે છે:
મળવું થાય ન થાય, એ તો પ્રારબ્ધ
આધીન છે પણ પત્ર તો લખતા રહેજો.

00:33:30.120 --> 00:33:42.216
એમ ચિઠ્ઠીમાં છે, આહાહા!
એમ મળવું તો થાય કે ન થાય, પણ અહીંયાં
કહે છે કે એક સ્વદ્રવ્ય અને એક પરદ્રવ્ય.

00:33:42.240 --> 00:33:49.776
પણ કોઈ જગ્યાએ એને ક્ષણિક ઉપાદાન કહ્યું છે?
અહીંયાં કહે છે કે એ ક્ષણિક
ઉપાદાન નથી પણ પરદ્રવ્ય છે.

00:33:49.800 --> 00:33:54.256
અને પરદ્રવ્યને નિમિત્ત કહેવાય
અને સ્વદ્રવ્યને ઉપાદાન કહેવાય.

00:33:54.280 --> 00:34:04.976
<p>નવતત્ત્વ એ સંયોગ છે, માટે પરદ્રવ્ય છે.
પરદ્રવ્ય છે માટે નિમિત્ત છે પણ ઉપાદાન નથી.

00:34:05.000 --> 00:34:11.096
કેમકે ક્ષણિક ઉપાદાન કહે તો
જીવના પરિણામ થઈ જાય અને
પરદ્રવ્ય કહે તો નિમિત થઈ જાય.

00:34:11.120 --> 00:34:17.856
આ (ક્લિપ-clip) નિમિત્ત છે,
સાંભળજો!
આ ઉપાદાન છે કે નિમિત્ત?

00:34:17.880 --> 00:34:26.296
દેવ, ગુરુ, શાસ્ત્ર નિમિત્ત છે કે ઉપાદાન?
<p>મુમુક્ષુ:-- નિમિત.
<p>ઉત્તર:- તો સાત તત્ત્વોનો સમૂહ નિમિત્ત.

00:34:26.320 --> 00:34:32.096
નિમિત્ત શુંકામ-કેમ કહ્યું?
કે પરદ્રવ્ય છે, માટે નિમિત્ત, આહાહા!

00:34:32.120 --> 00:34:43.216
ક્ષણિક ઉપાદાન નહીં અત્યારે.
અત્યારે નૈમિતિક નહીં અને
ક્ષણિક ઉપાદાન પણ નહીં.

00:34:43.240 --> 00:34:50.456
પણ તે પરસ્વભાવ હોવાથી પરદ્રવ્ય છે.
એક સ્વદ્રવ્ય અને એક પરદ્રવ્ય. બસ! આહાહા!

00:34:50.480 --> 00:34:59.856
બે ભાગલા થઈ ગયા? બે…(ભાગલા)..
એક સ્વદ્રવ્ય અને એક પરિણામ માત્ર પરદ્રવ્ય,
આહાહા!

00:34:59.880 --> 00:35:05.296
<p>મુમુક્ષુ:- અધ્યાત્મની મસ્તી છે.
<p>ઉત્તર:- અધ્યાત્મની મસ્તી છે.

00:35:05.320 --> 00:35:14.376
<p>મુમુક્ષુ:- એક માત્ર શુદ્ધ અંત:તત્ત્વ ઊભું રહ્યું.
<p>ઉત્તર:- એક ઊભું રહ્યું, તે સ્વદ્રવ્ય છે
અને એ સ્વદ્રવ્ય હોવાથી ઉપાદેય છે.

00:35:14.400 --> 00:35:19.336
પરદ્રવ્ય ઉપાદેય નથી.
પરદ્રવ્યને આશ્રયે ધર્મ નહીં થાય.

00:35:19.360 --> 00:35:24.936
જેમ નિમિત્તના આશ્રયે ધર્મ ન થાય
એમ સાતતત્ત્વ પરદ્રવ્ય હોવાને કારણે,

00:35:24.960 --> 00:35:28.976
એનું લક્ષ જ્યાં સુધી કરીશ ભેદનું,
એ ભેદ છે એ પરદ્રવ્ય છે.

00:35:29.000 --> 00:35:34.736
ભેદ તે જીવના પરિણામ નહીં અને
ક્ષણિક ઉપાદાન પણ અત્યારે નહીં, આહાહા!

00:35:34.760 --> 00:35:39.816
અત્યારે તને પરદ્રવ્ય કહે છે.
આચાર્ય ભગવાનને મસ્તી ચડી ગઈ છે, આહાહા!

00:35:39.840 --> 00:35:45.656
પરદ્રવ્યને નિમિત્ત કહેવાય.
પરદ્રવ્યને ઉપાદાન ન કહેવાય. આહાહા!

00:35:45.680 --> 00:35:52.016
એ પરદ્રવ્ય શું છે, અધ્યાત્મનું?
પરિણામ માત્ર પરદ્રવ્ય છે, આહાહા!

00:35:52.040 --> 00:35:59.056
<p>કેમકે પરસ્વભાવો છે.
નિમિતે જેમ પર છે એમ પરિણામ પણ પર છે.

00:35:59.080 --> 00:36:04.536
દ્રવ્યને પર્યાયો અડતી નથી, આહાહા!
ઉપાદાનને નિમિત અડે નહીં.

00:36:04.560 --> 00:36:10.616
ઉપાદાન ભિન્ન ને નિમિત્ત ભિન્ન.
બંને વચ્ચે અત્યંત અભાવ છે, આહાહા!

00:36:10.640 --> 00:36:23.096
<p>મુમુક્ષુ:- દ્રવ્યને પર્યાય ચુંબતી નથી.
<p>ઉત્તર:- ચુંબતી નથી, સ્પર્શતી નથી,
અડતી નથી, આહાહા! કેમકે પરદ્રવ્ય છે.

00:36:23.120 --> 00:36:29.936
સ્વદ્રવ્ય ને પરદ્રવ્ય અડી જાય તો
સ્વદ્રવ્યનો નાશ થઈ જાય, આહાહા!

00:36:29.960 --> 00:36:39.736
<b>પરદ્રવ્ય છે, તેથી હેય છે</b> અને
<b>અંત:તત્ત્વ</b>, અંદરનું તત્ત્વ,
આ બધું બહિર્તત્ત્વ છે.

00:36:39.760 --> 00:36:45.536
<b>એવું સ્વદ્રવ્ય-આત્મા ઉપાદેય છે</b>, આહાહા!

00:36:45.560 --> 00:36:56.576
<p>એની <b>ટીકા:- આ હેય-ઉપાદેય</b>.
હેય શું ને ઉપાદેય શું?
ભેદજ્ઞાનની વાત ચાલે છે, આહાહા!

00:36:56.600 --> 00:37:08.896
અરે! શુભાશુભભાવ બહિર્તત્ત્વ તો હેય છે,
આહાહા! પણ અહીંયાં તો કહે
સાત તત્ત્વોનો સમૂહ (હેય છે).

00:37:08.920 --> 00:37:20.496
વ્યવહાર રત્નત્રયના પરિણામ તો હેય છે
પણ નિશ્ચય રત્નત્રયના પરિણામ પણ
પરસ્વભાવ હોવાથી પરદ્રવ્ય છે.

00:37:20.520 --> 00:37:26.216
આહાહા! કોણ કહે સમર્થ આચાર્ય સિવાય?

00:37:26.240 --> 00:37:34.616
અને મહાવિદેહમાં જઇને સાંભળી વાણી,
આવી મસ્તી ચડી ગઈ અને લખી નાખ્યા શાસ્ત્રો,
ઓહોહોહો!

00:37:34.640 --> 00:37:45.896
<p>પ્રભુ! સાંભળ તારા ઘરની વાત છે.
એક સ્વદ્રવ્ય અને એક પરદ્રવ્ય.

00:37:45.920 --> 00:37:51.216
પરદ્રવ્ય અને સ્વદ્રવ્યમાં મિલાન કરીશ માં.
કે ક્યાંક અનન્ય લખ્યું છેને?

00:37:51.240 --> 00:37:56.456
એ અનન્ય લખ્યું છે એ વ્યવહાર છે.
અન્ય લખ્યું છે એ નિશ્ચય છે.

00:37:56.480 --> 00:38:11.496
<p><b>આ</b>, એટલે આ ગાથામાં હેય શું 
અને ઉપાદેય શું? અથવા <b>હેય</b>નો other 
word હેયનો બીજો શબ્દ, <b>ત્યાગ</b>.

00:38:11.520 --> 00:38:19.896
અને <b>ઉપાદેય</b>નો બીજો શબ્દ, <b>ગ્રહણ</b>.
ત્યાજ્ય શું છે અને ગ્રાહ્ય શું છે?

00:38:19.920 --> 00:38:30.376
ગ્રહણ કરવા યોગ્ય શું છે આત્માપણે?
આત્માપણે કોને માનવો? આહાહા!
અને કોણ આત્મા નથી?

00:38:30.400 --> 00:38:35.256
આત્મા નથી માટે એનું લક્ષ છોડી દેવું.
આત્મબુદ્ધિ છોડી દેવી, આહાહા!

00:38:35.280 --> 00:38:47.136
<b>ગ્રહણ-ત્યાગના સ્વરૂપનું કથન છે.
જે કોઈ વિભાવગુણપર્યાયો છે</b>,
વિશેષ ગુણ નામ પર્યાયો છે, આહાહા!

00:38:47.160 --> 00:39:00.696
<p>દ્રવ્યપર્યાય ન લેતાં ગુણ પર્યાયો લીધી.
કેમકે ચાર ભાવ છેને, એ ગુણ પર્યાય છે,
વ્યંજનપર્યાય નથી.

00:39:00.720 --> 00:39:07.176
દ્રવ્યને વ્યંજનપર્યાય કહેવાય.
વ્યંજનપર્યાય બંધ મોક્ષનું કારણ નથી.

00:39:07.200 --> 00:39:15.616
અને ગુણપર્યાય છે, ચારે અર્થપર્યાય છે,
આહાહા! ઉદય-ઉપશમ-ક્ષય ને ક્ષયોપશમ.

00:39:15.640 --> 00:39:22.856
વિભાવ એટલા માટે કે વિશેષ છે, આહાહા!
વિભાવ એટલે વિકાર ન લેવો, વિશેષ.

00:39:22.880 --> 00:39:28.376
વિશેષ એટલે ચારે ભાવ એમાં,
ક્ષાયિક ભાવ પણ એમાં આવી જાય.

00:39:28.400 --> 00:39:38.976
જે કોઈ વિભાવગુણપર્યાયો છે, છે ખરા
પણ સ્વદ્રવ્યપણે છે કે પરદ્રવ્યપણે?
<p>મુમુક્ષુ:- પરદ્રવ્યપણે.

00:39:39.000 --> 00:39:51.056
<p>ઉતર:- આહાહા! આ સમ્યક્દર્શન!
પ્રગટ કરવું છે એનું શું કરવું? રહેવા દે.

00:39:51.080 --> 00:40:01.096
પરદ્રવ્યને પ્રગટ કરવાની ભાવના ન હોય,
આહાહા! ધ્યાન ધ્યેય બની જશે અને ધ્યેય રહી જશે.

00:40:01.120 --> 00:40:14.696
કહે છે કે એક શુદ્ધાત્મા દેખાય છે,
બીજું કાંઇ દેખાતું નથી. અમને તો.

00:40:14.720 --> 00:40:24.496
<p><b>વિભાવગુણપર્યાયો છે તેવો પૂર્વે
(૪૯મી ગાથામાં) વ્યવહારનયના કથન દ્વારા
ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા,</b>

00:40:24.520 --> 00:40:29.416
જાણવા માટે,
<b>કહેવામાં આવ્યા હતા.</b>
જાણવા યોગ્ય છે.

00:40:29.440 --> 00:40:36.256
અહીંયાં કહે છે કે પરદ્રવ્ય
જાણવા યોગ્ય પણ નથી, આહાહા!.

00:40:36.280 --> 00:40:42.016
આશ્રય કરવા યોગ્ય તો નથી
પણ જાણવા યોગ્ય પણ નથી.

00:40:42.040 --> 00:40:44.696
એને જાણવા જાઈશ તો આત્મા નહીં જણાય.

00:40:44.720 --> 00:40:53.456
જાણવાની વાત તો ૪૯ માં કરી હતી.
<b>ઉપાદેયપણે</b>, એટલે જાણવા માટે કહ્યું હતું.

00:40:53.480 --> 00:40:58.616
<b>પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે
(શુદ્ધનિશ્ચનયે) તેઓ હેય છે.</b>

00:40:58.640 --> 00:41:04.056
જાણવાલાયક પણ નથી.
જાણવાલાયક તો સ્વદ્રવ્ય છે, આહાહા!

00:41:04.080 --> 00:41:07.656
એક જ્ઞાનાનંદ પરમાત્મા! પોતાનો આત્મા

00:41:07.680 --> 00:41:16.856
એ જ્ઞાનમાં જ્ઞેય, ધ્યાનમાં ધ્યેય,
આહાહા! અને આચરણમાં એ આચરણ
એક જ આત્માનું છે, બીજું કાંઇ છે નહીં.

00:41:16.880 --> 00:41:32.376
<b>તેઓ હેય છે.</b> શુદ્ધનિશ્ચયનયના બળે,
આ ખાસ વાત છે. શું કહ્યું? કે આ સાત તત્ત્વના
જે ભેદો છે, એ પરભાવ છે અને પરદ્રવ્ય છે.

00:41:32.400 --> 00:41:42.056
એ આ હેય છે, આ હેય છે, આ હેય છે, આ હેય છે,
એમ હેય ન થાય. લક્ષ ત્યાં રહેશે?

00:41:42.080 --> 00:41:47.776
<b>પણ શુદ્ધનિશ્ચયનયના બળે</b>
એટલે ઉપયોગ ત્યાંથી ફરી જાય છે.

00:41:47.800 --> 00:41:51.976
ભેદ ઉપરથી હટી જાય છે અને જ્યાં
અભેદ ઉપર ઉપયોગ આવ્યો,

00:41:52.000 --> 00:41:58.536
ત્યાં જ્ઞેયનું લક્ષ છૂટી ગયું
એને હેય થયું કહેવામાં આવે છે.

00:41:58.560 --> 00:42:01.056
એ જ્ઞેય છે ત્યાંસુધી ઉપાદેય છે.

00:42:01.080 --> 00:42:06.416
આત્મા જ્ઞેય થાય અને એ જ્ઞેય ન થાય,
એનું નામ હેય છે.

00:42:06.440 --> 00:42:09.496
ફરીને, શું કહ્યું?

00:42:09.520 --> 00:42:17.456
<p><b>શુદ્ધનિશ્ચયનયના બળે</b>
એમ, એવો પાઠ છે, આહાહા!

00:42:17.480 --> 00:42:21.496
નિશ્ચયનયના આશ્રયે વ્યવહારનયનો નિષેધ થઈ શકે છે.

00:42:21.520 --> 00:42:26.176
અધ્ધરથી વ્યવહારનયના લક્ષે
વ્યવહારનયનો નિષેધ ન થાય.

00:42:26.200 --> 00:42:29.336
ગ્રહણપૂર્વક ત્યાગ છે. એ સમજાવે છે.

00:42:29.360 --> 00:42:42.336
<b>પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે</b>
એટલે અંતર્મુખ ઉપયોગ ગયો અને શુદ્ધાત્મા
ઉપાદેયપણે દ્રષ્ટિમાં અનુભવમાં આવ્યો,

00:42:42.360 --> 00:42:55.456
ત્યારે જ્ઞાયક તે હું છું એમ જ્યાં અનુભવ થયો,
ત્યાં પર્યાયના ભેદોનું લક્ષ છૂટી ગયું.
એનું જાણવું છૂટી ગયું.

00:42:55.480 --> 00:43:05.736
પર્યાયાર્થિકચક્ષુ સર્વથા બંધ થઈ ગયા ને
દ્રવ્યાયાર્થિક ચક્ષુ ઉઘડી ગયા,
ત્યારે અભેદ દેખાય છે ભેદ દેખાતો નથી.

00:43:05.760 --> 00:43:08.656
અભેદમાં ભેદ અવિદ્યમાન છે, આહાહા!

00:43:08.680 --> 00:43:18.336
અભેદમાં પર્યાયના ભેદો દેખાતા નથી
અને ગુણભેદ પણ દેખાતા નથી, આહાહા!

00:43:18.360 --> 00:43:23.776
એકલો અભેદ સામાન્ય-સામાન્યને અવલોકતો
અને વિશેષને નહીં અવલોકતો, આહાહા!

00:43:23.800 --> 00:43:29.216
<p>આ ધ્યાનના કાળે આત્મા ઉપાદેય થાય છે.

00:43:29.240 --> 00:43:33.656
ધ્યાનમાં આત્મા ધ્યેય થાય છે, આહાહા!

00:43:33.680 --> 00:43:38.056
ધ્યાનમાં ધ્યેય થાય છે ત્યારે
પર્યાય હેય થઈ જાય છે.

00:43:38.080 --> 00:43:46.816
પર્યાય જ્ઞેયપણે રહેતી નથી. પર્યાય જો
જ્ઞેયપણે રહે તો હેય ન થાય, ઉપાદેય થઈ જાય.

00:43:46.840 --> 00:43:51.296
આ તો પર્યાયની આંખ ઉઘાડી રાખી.

00:43:51.320 --> 00:43:53.056
રાગ છોડવા યોગ છે,
આ રાગ છોડવા યોગ છે.

00:43:53.080 --> 00:43:59.656
આ રાગ (છોડવા યોગ છે), એમ નથી.
રાગ જણાતો જ નથી એમાં અંદરમાં જતાં,
આહાહા!

00:43:59.680 --> 00:44:10.056
<p><b>શુદ્ધનિશ્ચયનયના બળે</b>, 
અંતર અનુભવના બળે,
અનુભવના બળે હેય છે, આહાહા!

00:44:10.080 --> 00:44:18.656
<b>શા કારણથી</b> હેય છે?
એ હેય કેમ છે? એનું કારણ બતાવે છે.

00:44:18.680 --> 00:44:25.136
<b>કારણ કે તેઓ</b> -
હેય છે એનું કારણ બતાવો. હેય શા માટે?

00:44:25.160 --> 00:44:30.816
અમે તો એને આત્મા કહીએ છીએ.
સ્વદ્રવ્ય કહીએ છીએ,
આહાહા! હેય શા માટે?

00:44:30.840 --> 00:44:34.296
<b>કારણ કે તેઓ પરસ્વભાવો છે</b>.

00:44:34.320 --> 00:44:43.416
એ ચારમાં ક્યાંય પારિણામિક ભાવ લક્ષણ નથી,
આહાહા! લક્ષણ ભેદે મોટો ભેદ, આહાહા!

00:44:43.440 --> 00:44:51.656
ભાવ ભેદે-ભેદ, પ્રદેશ ભેદે-ભેદ,
લક્ષણ ભેદે-ભેદ,
એ ચાર ભાવના પ્રદેશ ભિન્ન છે, આહાહા!

00:44:51.680 --> 00:44:57.816
<p>એલા! પણ રાગના પ્રદેશ તો ભિન્ન,
શુદ્ધ પર્યાયના પ્રદેશ (પણ) ભિન્ન, કેમકે પરદ્રવ્ય છે.

00:44:57.840 --> 00:45:00.976
સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય એક પ્રદેશી ન હોય.

00:45:01.000 --> 00:45:18.536
સ્વદ્રવ્ય, એનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભિન્ન
અને પરદ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ ભિન્ન.
બેય ભિન્ન છે.  અધ્યાત્મની પરાકાષ્ઠા છે આ.

00:45:18.560 --> 00:45:26.456
આહાહા! આત્મા પોતે અભેદ
અનંત ગુણનો પિંડ તે સ્વદ્રવ્ય છે.

00:45:26.480 --> 00:45:30.936
અસંખ્યાત પ્રદેશી અભેદ
એક પ્રદેશ તે સ્વક્ષેત્ર છે.

00:45:30.960 --> 00:45:37.656
એ સ્વકાળ એટલે એની અવસ્થિત
સ્થિતિ છે,  એ સ્વકાળ.

00:45:37.680 --> 00:45:44.256
અને ભાવ એટલે શક્તિ, આહાહા!
એને સ્વભાવ કહેવામાં આવે છે.

00:45:44.280 --> 00:45:48.056
એ સ્વદ્રવ્ય છે. એ સ્વદ્રવ્યના ચાર ભેદ પણ નથી.

00:45:48.080 --> 00:45:54.016
પરદ્રવ્ય તો નથી પણ સ્વદ્રવ્યના ચાર ભેદ
તો સમજાવવા માટે શિષ્યોને કહ્યા.

00:45:54.040 --> 00:46:03.016
<p>પણ આત્મા પોતે સ્વદ્રવ્ય,
આત્મા પોતે સ્વક્ષેત્ર, આત્મા પોતે સ્વકાળ
અને આત્મા પોતે સ્વભાવ.

00:46:03.040 --> 00:46:08.736
એમાં ભેદ-બેદ છે નહીં અને
સામે બીજી પર્યાયો છે, એ પરદ્રવ્ય છે.

00:46:08.760 --> 00:46:18.376
પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવ.
પરદ્રવ્ય અને પરભાવ તો ચોખ્ખું આમાં છે.

00:46:18.400 --> 00:46:23.176
પરદ્રવ્ય છે અને પરભાવ છે,
એતો (ચોખ્ખું) આમાં લખેલું છે.

00:46:23.200 --> 00:46:30.056
જો પરદ્રવ્ય અને પરભાવ હોય તો
એનું ક્ષેત્ર પણ ભિન્ન અને કાળ પણ ભિન્ન હોય.

00:46:30.080 --> 00:46:38.816
આ હરખજમણ ચાલે છે. ભેદજ્ઞાનની પરાકાષ્ઠા છે.

00:46:38.840 --> 00:46:51.656
ભલે ચાર દિ' માટે આવ્યા હોય પણ
એક દિ' માં ચાર દિ'નો માલ મળી જાય,
એવું છે. પ્રફુલ્લાબેન!

00:46:51.680 --> 00:47:00.056
<p>અરે પ્રભુ! એક વાર વાત તો સાંભળ.
આ ભેદજ્ઞાનની વાત તો સાંભળ.

00:47:00.080 --> 00:47:06.056
તારા મકાન અને બાયડી, છોકરા અને
કુટુંબ અને પૈસો ટકો તો, આહાહા!

00:47:06.080 --> 00:47:17.136
એને તો અમે પરદ્રવ્યમાં કહેતા નથી કેમકે
એ હેય તત્ત્વ નથી. એ તો પૃથ્થક તત્ત્વ હોવાથી,
આહાહા! એ તો શું કહીએ?

00:47:17.160 --> 00:47:21.176
એ વ્યવહાર જ્ઞેય કહીએ તો કહીએ,
બાકી તો કાંઇ (નથી). આહાહા!

00:47:21.200 --> 00:47:24.976
અહીંયાં તો દ્રવ્ય અને પર્યાય
વચ્ચેના ભેદજ્ઞાનની વાત ચાલે છે.

00:47:25.000 --> 00:47:34.136
<p>દ્રવ્ય તે સ્વદ્રવ્ય, સામાન્ય તે સ્વદ્રવ્ય અને
વિભાવ-વિશેષ પર્યાયો,
એ બધા પરભાવો હોવાથી પરદ્રવ્ય છે.

00:47:34.160 --> 00:47:39.856
પરદ્રવ્યનું કારણ આપ્યું કે
પરભાવ હોવાથી પરદ્રવ્ય.

00:47:39.880 --> 00:47:49.416
કેમકે કોઈ તો ઉદયભાવે, કોઈ ઉપશમભાવે,
કોઈ ક્ષયોપશમ અને કોઈ ક્ષાયિકભાવ,
આત્માની સાથે લક્ષણ મળતું નથી.

00:47:49.440 --> 00:47:59.136
<p><b>તેઓ પરસ્વભાવો છે, અને તેથી જ</b>, જ કહ્યું છે હોં!

00:47:59.160 --> 00:48:01.936
કારણ આપીને પરદ્રવ્ય સિદ્ધ કર્યું.

00:48:01.960 --> 00:48:07.896
પરદ્રવ્ય છે, એમ નહીં. પરદ્રવ્ય છે, એમ નહીં.

00:48:07.920 --> 00:48:18.536
પરદ્રવ્ય કેમ? કે પરસ્વભાવો છે, આહાહા!
એ આત્માના સ્વભાવ નથી.
એ આત્માનો વિભાવ છે.

00:48:18.560 --> 00:48:29.336
<p>સમ્યગ્દર્શન છેને? એ આત્માનો વિભાવ છે.
હેં? અને વિભાવ હોવાથી તે પરદ્રવ્ય છે.

00:48:29.360 --> 00:48:40.296
આહાહા! ક્યાં લઈ જવા છે, પ્રભુ!
આત્મામાં લઈ જવા છે, ભાઈ!
તારું સ્વરૂપ આવું છે, બાપુ! આહાહા!

00:48:40.320 --> 00:48:45.136
પર્યાયનું લક્ષ છોડી દે.
પર્યાય પ્રગટ કરવી છે, મારે. નહીં થાય.

00:48:45.160 --> 00:48:49.856
પર્યાય પ્રગટ કરવી છે
એટલે પરદ્રવ્યનો કર્તા બની ગયો.

00:48:49.880 --> 00:48:53.536
સમ્યગ્દર્શનનો કર્તા તે પરદ્રવ્યનો કર્તા છે.

00:48:53.560 --> 00:48:58.936
લોકાલોકનો કર્તા, સમ્યગ્દર્શનનો કર્તા,
આત્મા છે નહીં, અકર્તા છે. આહાહા!

00:48:58.960 --> 00:49:08.296
એને જાણનાર કહેવું એ પણ વ્યવહાર છે. 
આહાહા! અકારક અને અવેદક આત્મા છે.

00:49:08.320 --> 00:49:13.496
બંધ અને મોક્ષનો કરનાર નથી,
પ્રભુ! સાંભળ વાત તારી, આહાહા!

00:49:13.520 --> 00:49:21.976
<p>મોટા ઘરના કહેણ આવ્યા છે,
આહાહા! ના પાડીશ માં!

00:49:22.000 --> 00:49:26.576
ગુરુદેવ કહેતા હતા, મોટા ઘરના કહેણ આવ્યા છે.

00:49:26.600 --> 00:49:34.576
કન્યા લઈને આવ્યા છે,
મોટા ઘરની તારે ઘરે દેવા માટે.
ના પાડીશ માં, આહાહા!

00:49:34.600 --> 00:49:40.896
એમ કુંદકુંદભગવાન કહે છે (કે) સ્વદ્રવ્ય
અને પરદ્રવ્યની વહેંચણી અમે કરીએ છીએ.

00:49:40.920 --> 00:49:43.256
અત્યારે ના પાડીશ માં.

00:49:43.280 --> 00:49:51.016
એ કથંચિત્ તો જીવના પરિણામ છે કે નહીં? (નથી)
કેમ કે પરદ્રવ્યમાં કથંચિત્ લાગુ પડતું નથી.
સર્વથા ભિન્ન છે.

00:49:51.040 --> 00:50:00.616
ધીમે-ધીમે બધી વાત (આવે છે).
ધીમે-ધીમે બધી વાત આવે, આહાહા!

00:50:00.640 --> 00:50:04.736
પર્યાય જો કહીએ તો
કથંચિત્ ભિન્ન-અભિન્ન તને ભાસે.

00:50:04.760 --> 00:50:10.216
પણ અમે તો એને પર્યાય કહેતા નથી.
અમે પરદ્રવ્ય કહીએ છીએ.

00:50:10.240 --> 00:50:17.096
આની  (ક્લિપની) સાથે આત્માને
કથંચિત્ ભિન્ન-અભિન્નપણું લાગુ પડતું નથી,
એ સર્વથા ભિન્ન છે.

00:50:17.120 --> 00:50:28.536
એવી રીતે, પર્યાય માત્ર પરદ્રવ્ય
હોવાને કારણે, સર્વથા ભિન્ન છે,
અત્યંત ભિન્ન છે, (એવું માનશે) ત્યારે દ્રષ્ટિ પ્રાપ્ત થશે.

00:50:28.560 --> 00:50:38.416
અને દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી તે સંવર, નિર્જરા,
મોક્ષના પરિણામ કથંચિત્ ભિન્ન-અભિન્ન
એવું જ્ઞાન તને થઈ જશે. આહાહા!

00:50:38.440 --> 00:50:48.456
એવું જ્ઞાન થયા વિના પણ રહેશે નહીં.
પણ એવું જ્ઞાન થાય તો પણ એ જ્ઞેય છે.

00:50:48.480 --> 00:50:54.376
એ જ્ઞેયનો મહિમા અને
અધિકતા મને આવશે નહીં. આહાહા!

00:50:54.400 --> 00:51:04.976
ફરીથી-ફરીથી.
કે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની વહેંચણી જ્યાં કરી,

00:51:05.000 --> 00:51:09.936
પરિણામ માત્રથી લક્ષ છૂટી ગયું અને
ભગવાન આત્મામાં લક્ષ આવ્યું.

00:51:09.960 --> 00:51:14.816
દ્રષ્ટિ અભેદમાં ગઈ, અનુભૂતિ થઈ,
એ અનુભૂતિ થવાના કાળે,

00:51:14.840 --> 00:51:20.456
અનુભૂતિ કેમ થઈ? કે (પરિણામ માત્ર) 
પરદ્રવ્ય છે એમ માનવાથી, અનુભૂતિ થઈ.

00:51:20.480 --> 00:51:23.976
એ પરદ્રવ્ય છે એમ માનવાથી અનુભૂતિ જ્યાં થઈ,

00:51:24.000 --> 00:51:26.176
ત્યાં અનુભૂતિથી આત્મા અનન્ય,

00:51:26.200 --> 00:51:32.856
ક્ષણિક અભેદપણે, અનુભવમાં આવ્યો
ત્યારે જ્ઞાન પ્રગટ થયું, દ્રષ્ટિની સાથે જ્ઞાન.

00:51:32.880 --> 00:51:38.016
એ જ્ઞાન એમ જાણે છે કે
અતીન્દ્રિય આનંદની પર્યાયથી મારો આત્મા સહિત છે.

00:51:38.040 --> 00:51:45.776
પણ સહિત ઉપર વજન નથી,
રહિતનું વજન અને
સહિતનું હળવેથી જ્ઞાન કરજે.

00:51:45.800 --> 00:51:57.376
એના ઉપર વજન આપીશ નહીં.,આહાહા!
હળવેકથી, વજન આપીશ નહીં.
અભેદ કથંચિત્ છે, આહાહા!

00:51:57.400 --> 00:52:00.496
<p>સર્વથા ભિન્ન છે એના ઉપર વજન આપ.

00:52:00.520 --> 00:52:07.376
પછી અભેદ-હળવેકથી જોઈ લેજે, જાણી લેજે.
કથંચિત્ અભિન્ન છે, દ્રવ્યથી.

00:52:07.400 --> 00:52:13.896
કોઈ સાંભળે નહીં એમ બોલજે.
અને સર્વથા અભિન્ન,
બધા સાંભળે એ રીતે દાંડી પીટીને કહેજે.

00:52:13.920 --> 00:52:16.696
સ્વદ્રવ્ય-પરદ્રવ્યની ભિન્નતા છે.

00:52:16.720 --> 00:52:28.216
<p>મુમુક્ષુ:- ફરીથી, સ્વતંત્રતાનો ઢંઢેરો.
એ જ મકમતાથી.
<p>ઉત્તર:- શું કહ્યું?

00:52:28.240 --> 00:52:33.136
કે જ્યારે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો
વિભાગ ખ્યાલમાં આવ્યો,
દ્રષ્ટિ જીવમાં જાય છે,

00:52:33.160 --> 00:52:38.936
અનુભૂતિ થાય છે ત્યારે એ
અનુભૂતિથી આત્મા અનન્ય (છે) એવું જ્ઞાન થાય છે.

00:52:38.960 --> 00:52:44.696
એવું શ્રદ્ધાન થતું નથી પણ એવું જ્ઞાન થાય છે.
એ જ્ઞાનનું નામ વ્યવહાર છે.

00:52:44.720 --> 00:52:51.296
એ જ્ઞાનનું નામ નિશ્ચય નથી.
અન્ય છે તે નિશ્ચય છે,
અને અનન્યનું જ્ઞાન તે વ્યવહાર છે.

00:52:51.320 --> 00:53:00.536
એ વ્યવહારને ,આહાહા!
હળવેકથી સહિત છે એમ જાણજે અને
જોરથી રહિત છે, એમ માનજે.

00:53:00.560 --> 00:53:09.376
<p>માનવામાં જોર કરજે પણ
સહિતને જાણવામાં તું એનું જોર આપીશ નહીં,

00:53:09.400 --> 00:53:15.096
કેમકે અનંતગુણથી જે આત્મા
સ્વદ્રવ્ય અભેદ છે. આહાહા!

00:53:15.120 --> 00:53:21.456
એમાં એ પર્યાય અભેદ થાય છે
ક્ષણિક પણ એ ક્ષણિક અભેદ છે.

00:53:21.480 --> 00:53:28.696
એ અનિત્ય તાદાત્મ્ય છે, નિત્ય તાદાત્મ્ય નથી.
કેમકે પર્યાય પલટે છે, આહાહા!

00:53:28.720 --> 00:53:38.296
પલટતી જ્ઞાનને જાણનારું જ્ઞાન પલટે છે
પણ દ્રષ્ટિ પલટતી નથી.

00:53:38.320 --> 00:53:42.456
કેમકે (મોટેથી) સર્વથા ભિન્ન, સર્વથા ભિન્ન,
સર્વથા ભિન્ન, સર્વથા ભિન્ન, સર્વથા ભિન્ન,

00:53:42.480 --> 00:53:49.576
(શાંતિથી) કથંચિત્ અભિન્ન, કથંચિત્ અભિન્ન,
કથંચિત્ અભિન્ન, કથંચિત્ અભિન્ન
કેમકે પર્યાય પલટે છે પણ દ્રષ્ટિ પલટતી નથી.

00:53:49.600 --> 00:53:54.616
કેમકે દ્રષ્ટિ તો સર્વથા ભિન્નમાં ગઈ છે,
સૂક્ષ્મ વાત છે આ.

00:53:54.640 --> 00:53:58.256
<p>મુમુક્ષુ:- એકદમ બરાબર છે.
દ્રષ્ટિના વિષયનું જોર છે, એકમાં.
<p>મુમુક્ષુ:- બંને પડખાનું?

00:53:58.280 --> 00:54:02.536
<p>ઉત્તર:- બંને પડખાનું તું જેમ છે એમ જાણવું જોઈએ.

00:54:02.560 --> 00:54:10.096
હા! સમ્યક્જ્ઞાનમાં જેમ છે તેમ,
રહિતનું શ્રદ્ધાન અને સહિતનું જ્ઞાન.

00:54:10.120 --> 00:54:14.856
રહિતનું શ્રદ્ધાન તે નિશ્ચય
અને સહિતનું જ્ઞાન તે વ્યવહાર.

00:54:14.880 --> 00:54:20.696
અને વ્યવહાર અભૂતાર્થ અને અસત્યાર્થ જાણજે,
આશ્રય કરવા યોગ્ય નથી. આહાહા!

00:54:20.720 --> 00:54:23.296
એ જ્ઞેય થયું તે આશ્રય કરવા યોગ્ય નથી.

00:54:23.320 --> 00:54:33.576
ધ્યેયનો આશ્રય અને જ્ઞેયનું જ્ઞાન.
ધ્યેયનું ધ્યાન અને જ્ઞેયનું જ્ઞાન. સમય એક. આહાહા!

00:54:33.600 --> 00:54:40.896
<p>મુમુક્ષુ:- આચાર્ય ભગવાન સુપ્રિમ
કોર્ટના જજની જેમ ખુરશી પર બેઠા છે.

00:54:40.920 --> 00:54:50.496
<p>મુમુક્ષુ:- ન્યાય આપ્યો સાચો. દ્રવ્ય-પરદ્રવ્યનો ફેંસલો ચાલે છે.

00:54:50.520 --> 00:54:55.816
<p>ઉત્તર:- ભાઈને ભાવ આવ્યો તે બરોબર છે.
<p>મુમુક્ષુ:- એકદમ ન્યાયવાળો ભાવ આવ્યો.

00:54:55.840 --> 00:55:02.056
<p>ઉત્તર:-એકદમ! ન્યાયથી વાત ચાલે છેને? હેં? 
વીતરાગી ગાદી છે ને આતો.

00:55:02.080 --> 00:55:08.616
સામું શાસ્ત્ર છેને? પરદ્રવ્ય કહ્યું છે ને?
તો પરદ્રવ્યની વ્યાખ્યા થઈને આપણી. આહાહા!

00:55:08.640 --> 00:55:17.816
આમાં લખેલું છેને? સંસ્કૃતમાં છે,
સંસ્કૃતમાં છે, પરદ્રવ્ય હોં!
છે જુવો જોઈએ? લખેલું છે ક્યાંય?

00:55:17.840 --> 00:55:23.056
<p>મુમુક્ષુ:- <b>परस्वभावत्वात्,
अत एव परद्रव्यं भवति।</b>

00:55:23.080 --> 00:55:33.056
<p>ઉત્તર:- આહાહા! <b>परस्वभावत्वात्,
अत एव परद्रव्यं भवति।</b>
બીજી લીટી છે. સંસ્કૃતની.

00:55:33.080 --> 00:55:36.936
<p>મુમુક્ષુ:- આ કઈ ગાથા?
<p>ઉત્તર:- ૫૦ નંબરની ગાથા.

00:55:36.960 --> 00:55:43.736
<p>મુમુક્ષુ:- નિયમસાર ૫૦ નંબરની.
<p>ઉત્તર: નિયમસાર, શુદ્ધભાવ અધિકાર, ગાથા નંબર ૫૦.

00:55:43.760 --> 00:55:54.016
એમાં સાતે પર્યાયને પરભાવ હોવાથી
પરદ્રવ્ય કહ્યું છે, આહાહા!
અને અંત:તત્ત્વ એક શુદ્ધાત્મા સ્વદ્રવ્ય છે.

00:55:54.040 --> 00:56:00.976
અને પરદ્રવ્ય હોવાથી કથંચિત્
ભિન્ન-અભિન્ન શ્રદ્ધામાં હોતું નથી. આહાહા!

00:56:01.000 --> 00:56:07.616
સ્વદ્રવ્યને, પરદ્રવ્યને કથંચિત્ ભિન્ન-અભિન્ન
લાગુ પડે નહીં. ભિન્ન જ છે.

00:56:07.640 --> 00:56:11.856
પણ એની સાથે એક જ્ઞાન પ્રગટ થાય છે, શ્રુતજ્ઞાન.

00:56:11.880 --> 00:56:21.656
એનો એક અંશ વ્યવહાર છે, એ જાણે છે
કે આનંદની પર્યાયથી, સમ્યગ્દર્શનની
પર્યાયથી, આત્મા સહિત છે એમ જાણે છે.

00:56:21.680 --> 00:56:30.616
પણ એ જાણવું પલટે છે કેમકે
પર્યાય વૃદ્ધિગત થઈને પલટે છે
પણ રહિત છે એનું પલટવું નથી.

00:56:30.640 --> 00:56:39.736
<p>શ્રદ્ધાને પલટવાનું પ્રશ્ન નથી.
રહિત છે-રહિત છે-રહિત છે, એમ જ આવ્યા કરે.

00:56:39.760 --> 00:56:41.176
ને ઓમાં (જ્ઞાનમાં) સહિત છે, 
સહિત છે (એમ આવે છે).

00:56:41.200 --> 00:56:48.176
પહેલા ૩૦ ડિગ્રીથી સહિત,
પછી ૩૧ ડિગ્રીથી સહિત.
શુદ્ધિ-શુદ્ધિની વૃદ્ધિ.

00:56:48.200 --> 00:56:55.496
શુદ્ધિની વૃદ્ધિ વધે છે
અને વધતી દશાથી સહિત છે.

00:56:55.520 --> 00:57:08.896
એટલે પર્યાય વધે છે અને વધતી દશાથી સહિત-
સહિત-સહિત-સહિત, તો સહિતનો વિષય ફરે છે
અને રહિતનો વિષય ફરતો નથી.

00:57:08.920 --> 00:57:25.256
ખ્યાલ આવ્યો?
અનુભવ થયો, નિર્જરા થાય છેને, શુદ્ધિની વૃદ્ધિ?

00:57:25.280 --> 00:57:32.896
તો શુદ્ધિની વૃદ્ધિ જે થાય છે,
આનંદની વૃદ્ધિ એ પર્યાયથી અનન્ય, સહિત,
એમ જ્ઞાન જાણે છે.

00:57:32.920 --> 00:57:36.936
પણ એ જ્ઞાન, વ્યવહાર જ્ઞાનનો વિષય ફરે છે.

00:57:36.960 --> 00:57:41.216
નિશ્ચય જ્ઞાનનો અને શ્રદ્ધાનો વિષય ફરતો નથી.

00:57:41.240 --> 00:57:47.056
ન ફરે તે હું છું.
ફરે તે હું નથી.
જાણવા માટે છે, આહાહા!

00:57:47.080 --> 00:57:57.536
<p>ગોસરભાઈ! આ દોઢસો નંબરનું સૂતર
ગંથાય છે અટાણે, ૧૨૦ નંબરનું નહીં, આહાહા!

00:57:57.560 --> 00:58:09.096
કહ્યું હતું, કે બદામનો મેસુબ છે.
આ શારદાબેનનો ચણાના લોટનો મેસુબ નથી.

00:58:09.120 --> 00:58:22.816
ગુરુદેવ કહેતા હતા કે એક શેર લોટમાં બે શેર ઘી, 
ચણાના લોટમના મેસુબમાં. અને સક્કરપારા થાય છે,

00:58:22.840 --> 00:58:27.936
એક શેર લોટમાં ચાર શેર ઘી સમાઈ જાય છે.
એ કહેતા હતા.

00:58:27.960 --> 00:58:34.336
એમણે અનુભવ કર્યો હશે.
સક્કરપારા થાય છે. બોલો!
એણે તો ઘણું જોયું છે ને, આહાહા!

00:58:34.360 --> 00:58:40.296
<p>અહીંયા તો કહે છે પ્રભુ! એક વાર વાત સંભાળ!
તારા શુદ્ધાત્માની વાત તે સાંભળી નથી.

00:58:40.320 --> 00:58:44.096
પર્યાય મારી છે-મારી છે-મારી છે,
એમ મમતા છૂટતી નહોતી.

00:58:44.120 --> 00:58:48.256
મમતા છૂટતી નહોતી,
એમ્ કુંદકુંદભગવાનને ખબર પડી.

00:58:48.280 --> 00:58:56.176
પરદ્રવ્ય છે, જા! પરદ્રવ્ય!
મમતા છૂટી ગઈ. મમતા છૂટી ગઈ.

00:58:56.200 --> 00:59:02.336
આ આશિષ મારો, અરે!
એ તો ક્યાંય નો ક્યાંય ગયો,
પણ પર્યાય મારી!

00:59:02.360 --> 00:59:08.216
પર્યાય જીવની કે પરદ્રવ્ય છે?
જીવને પરિણામ જ ન હોય, લે!

00:59:08.240 --> 00:59:16.096
હવે તો મમતા છોડ! આહાહા!
પરિણામ પરદ્રવ્ય છે.
મમતા કરીશ માં, આહાહા!

00:59:16.120 --> 00:59:23.776
<p>અદ્દભુત ગાથા છે. અદ્દભુત ગાથા છે.
ચમત્કારિક ગાથા છે, આહાહા!

00:59:23.800 --> 00:59:31.816
૩૮ ગાથા અને આ એક ૫૦ ગાથા અને
એક પરમાર્થ પ્રતિક્રમણની પાંચ ગાથા, રતન! આહાહા!

00:59:31.840 --> 00:59:41.176
ટોંચ છે નિયમસારનો, આહાહા!
બે ને પાંચ, સાત ગાથા!
સપ્તમ ગુણસ્થાન આવી જાય, આહાહા!

00:59:41.200 --> 00:59:50.256
<b>તેઓ પરસ્વભાવો છે.</b>
ન્યાય આપ્યો, કે પરદ્રવ્ય કેમ છે?

00:59:50.280 --> 00:59:57.616
પોતે ન્યાય આપ્યો કે પરસ્વભાવ છે માટે
અમે એને પરદ્રવ્ય કહીએ છીએ. હવે આગળ.

00:59:57.640 --> 01:00:02.256
<p><b>સર્વવિભાવગુણપર્યાયોથી રહિત,</b> આહાહા!

01:00:02.280 --> 01:00:07.376
પહેલી લીટીમાં વિભાવગુણપર્યાયો
લીધા હતાને, એને પાછું યાદ કરે છે.

01:00:07.400 --> 01:00:13.576
<b>સર્વવિભાવગુણપર્યાયોથી રહિત,</b>
આહાહા! રહિત ને સહિત. આહાહા!

01:00:13.600 --> 01:00:18.896
રહિત કાયમી ચીજ છે અને સહિત ફરતી વાત છે.

01:00:18.920 --> 01:00:26.656
સહિત ફરે પણ રહિત ફરે નહીં, આહાહા!
સહિતમાં ફરે છે.

01:00:26.680 --> 01:00:35.776
શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છેને?
પહેલા સમયે સહિત બીજા સમયે સહિત,
સહિત, સહિત, એ વ્યવહારનો વિષય ફરે છે.

01:00:35.800 --> 01:00:42.816
અર્થાત્ સાધકને વ્યવહાર જ્ઞાન જે
પ્રગટ થાય છે એનો વિષય ફરતો છે.

01:00:42.840 --> 01:00:47.776
અને સાધકને જે નિશ્ચયનય પ્રગટ
થઈ છે એનો વિષય ફરતો નથી.

01:00:47.800 --> 01:00:55.256
કેમકે એનો વિષય તો સામાન્ય, સામાન્ય,
જ્ઞાયક ચિદાનંદ આત્મા એક છે, આહાહા!
એમાં કાંઇ વધઘટ થતી નથી.

01:00:55.280 --> 01:00:59.856
વ્યવહારનયના વિષયમાં ઘટતું નથી પણ વધે છે.

01:00:59.880 --> 01:01:10.376
પણ વધતી દશાને જાણનાર, જ્ઞાનને
એ વધતી દશા વધે છે એને ફેરવતા-ફેરવતા,
ફેરવવું પડે છે જ્ઞાનને, આહાહા!

01:01:10.400 --> 01:01:17.456
કે ચાલીસ ડિગ્રી થઈ તો
બીજા સમયે ચાલીસ ડિગ્રી,
એમ નથી, તો એ નિશ્ચય થઈ જાય છે.

01:01:17.480 --> 01:01:21.696
પણ પર્યાય ફરે છે અને જ્ઞાન પણ ફરે છે,
માટે વ્યવહાર છે.

01:01:21.720 --> 01:01:25.856
વ્યવહારનય ફરતી વાત કરે છે,
નિશ્ચયનય ફરતું નથી.

01:01:25.880 --> 01:01:34.576
અંદરની વાત છે બધી, હાં! બધી!

01:01:34.600 --> 01:01:37.936
શુદ્ધિ વૃદ્ધિ થાય છેને સાધકને?

01:01:37.960 --> 01:01:46.136
એટલે પર્યાય વૃદ્ધિગત થઈને અભેદ થાય છે
તો એને જાણનારું જ્ઞાન પણ ફરે છે, આહાહા.

01:01:46.160 --> 01:01:49.056
એ જ્ઞાનનો વિષય એક નથી રહેતો.

01:01:49.080 --> 01:01:54.656
જો એ વ્યવહારનયનો વિષય એક રાખે
તો સાધક સિદ્ધ ન થાય.

01:01:54.680 --> 01:02:04.976
બીજું પડખું, વૃદ્ધિગત થાય છે અને
વધતી દશાને જ્ઞાન જાણે છે.
એ જ્ઞાનનું નામ વ્યવહાર છે.

01:02:05.000 --> 01:02:14.816
ભેદને જાણે તે વ્યવહાર અને
અભેદને જાણે તે નિશ્ચય,
આહાહા! માલ ભર્યો છે, આમાં તો.

01:02:14.840 --> 01:02:25.296
<p>મુમુક્ષુ:- આપે કહ્યું તું પરદ્રવ્ય ફરે છે.
સ્વદ્રવ્ય ફરતો નથી.
<p>ઉત્તર:- ફરે નહીં. પરદ્રવ્ય ફરે.

01:02:25.320 --> 01:02:30.456
અને એને જાણનારું જ્ઞાન પણ ફરે.

01:02:30.480 --> 01:02:35.456
પણ સ્વદ્રવ્યને જાણનારું જ્ઞાન ફરે નહીં
કેમ કે સ્વદ્રવ્ય ફરતું નથી.

01:02:35.480 --> 01:02:38.456
સ્વદ્રવ્ય ફરે તો એને જાણનારું જ્ઞાન ફરે.

01:02:38.480 --> 01:02:45.256
સ્વદ્રવ્ય તો એકરૂપ છે અનાદિ અનંત.
તો એને જાણનારું જ્ઞાન પણ ફરતું નથી, આહાહા!.

01:02:45.280 --> 01:02:55.576
કોઈ ગાથા છે આ તો! અદ્દભુત ગાથા છે!
બહુ ઊંડાણ છે, બહુ, આહાહા!

01:02:55.600 --> 01:03:01.736
આપણે તો શક્તિ નથી આમાં,
એટલો ભાવો બ્રહ્માંડના ભર્યા છે.

01:03:01.760 --> 01:03:07.336
આપણે તો શક્તિ અનુસાર, આહાહા!
પ્રભુ! અમારી શક્તિ અનુસાર સ્વાધ્યાય કરીએ છીએ.

01:03:07.360 --> 01:03:11.576
આપે તો આમાં લખ્યું છે,
ભાવો બ્રહ્માંડના ભર્યા છે, આહાહા!

01:03:11.600 --> 01:03:21.936
<p><b>તેઓ પરસ્વભાવો છે, અને તેથી જ પરદ્રવ્ય છે.
સર્વ વિભાવગુણપર્યાયોથી રહિત,</b>, સર્વ લઈ લીધું.

01:03:21.960 --> 01:03:26.776
વિભાવગુણપર્યાયથી, ચારે પર્યાયથી,
કોઈ પણ પર્યાય બાકી નહીં, બધી પર્યાયો.

01:03:26.800 --> 01:03:34.176
પરિણામ માત્રથી રહિત. બંધ-મોક્ષથી રહિત,
નવતત્ત્વથી રહિત, પ્રમત્ત-અપ્રમત્તથી રહિત,
ચૌદ ગુણસ્થાનથી રહિત.

01:03:34.200 --> 01:03:46.096
<b>શુદ્ધ-અંત:તત્ત્વરૂપં સ્વદ્રવ્ય ઉપાદેય છે,</b>
આહાહા! એ ઓલું પરદ્રવ્ય છે,
હવે સ્વદ્રવ્ય, સ્વદ્રવ્ય શું?

01:03:46.120 --> 01:03:53.296
કે <b>શુદ્ધ-અંત:તત્ત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે.</b>
હવે, એ સ્વદ્રવ્ય શું છે?

01:03:53.320 --> 01:03:56.816
પરદ્રવ્યની વ્યાખ્યા થઈ ગઈ.
હવે સ્વદ્રવ્ય શું છે?

01:03:56.840 --> 01:04:04.456
પરદ્રવ્યમાં શું છે અને સ્વદ્રવ્યમાં શું છે?
બેય બતાવવું જોઈએને?

01:04:04.480 --> 01:04:11.896
<p>પરદ્રવ્ય એટલે પર્યાય માત્ર પરદ્રવ્ય.
અને સ્વદ્રવ્ય કોણ? અને સ્વદ્રવ્યમાં શું?

01:04:11.920 --> 01:04:16.336
ઓમાં સાત તત્ત્વ લીધા. આમાં શું લેશો? સાંભળ!

01:04:16.360 --> 01:04:24.136
ટુંકાણમાં કહી દઈએ. વિસ્તારથી કાલ. કેમકે
ભાઈ કાલ જાવાના છે, એટલે ટૂંકામાં કહી
દઈએ. ભલે પાંચ મિનિટ મોડું થાય.

01:04:24.160 --> 01:04:31.776
<b>ખરેખર</b>! શું કહ્યું? 
<b>આ શુદ્ધ-અંત:તત્ત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે</b>.

01:04:31.800 --> 01:04:38.496
હવે હેયની વાત પૂરી થઈ ગઈ. 
હવે ઉપાદેયની વાત સમજાવે છે. આત્માની વાત.

01:04:38.520 --> 01:04:55.056
<b>ખરેખર સહજજ્ઞાન-સહજદર્શન-સહજચારિત્ર-
સહજપરમ વીતરાગ-સુખાત્મક શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ 
આ સ્વદ્રવ્યનો આધાર,</b> એટલે આ ગુણોનો આધાર.

01:04:55.080 --> 01:05:03.456
<p><b>સહજજ્ઞાન</b> એ ગુણ, <b>સહજદર્શન</b> એ ગુણ, 
<b>સહજચારિત્ર</b> એ ત્રિકાળી ગુણ, 
<b>સહજપરમવીતરાગ</b> એ સુખ ગુણ,

01:05:03.480 --> 01:05:14.936
એવું <b>શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ આ સ્વદ્રવ્યનો</b> 
એટલે આ સ્વગુણોનો આધાર, આહાહા!

01:05:14.960 --> 01:05:20.176
ગુણોનો આધાર ગુણી છે-ગુણોનો આધાર ગુણી છે.

01:05:20.200 --> 01:05:26.696
એ <b>આધાર સહજપરમપારિણામિકભાવલક્ષણ
(–સહજ પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે એવો)
કારણસમયસાર છે.</b> 

01:05:26.720 --> 01:05:33.696
આ ગુણીને આધારે ગુણ છે. 
પર્યાયને આધારે, આહાહા! ગુણો નથી.

01:05:33.720 --> 01:05:41.896
આ જે ગુણો છે એને આધાર હોય તો 
<b>પરમપારિણામિકભાવલક્ષણ કારણસમયસાર છે</b>.

01:05:41.920 --> 01:05:50.176
<p>સોનું સોનાને આધારે પર્યાય તો નથી 
કેમકે પર્યાય તો પરદ્રવ્ય છે. 
પણ સોનું કેવું?

01:05:50.200 --> 01:06:09.016
સોનું કેવું? કે જેમાં ચીકાશ, ભારેપણું, એ જેમાં હોય 
એ ગુણો છે, એ ગુણોનો આધાર પર્યાય છે કે સોની છે? 
કે નહીં. ગુણો ગુણને ગુણીને આધારે હોય.

01:06:09.040 --> 01:06:17.336
ગુણ ગુણીને આધારે હોય. 
મીઠાશ, ગળપણ, એ બધું ગોળને આધારે છે.

01:06:17.360 --> 01:06:27.176
એમ ગુણોને આધાર રૂપ પરમપારિણામિક 
જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા, 
એને આધારે ગુણો છે.

01:06:27.200 --> 01:06:31.416
તેને સ્વદ્રવ્ય કહેવામાં આવે છે અને એ ઉપાદેય છે.

01:06:31.440 --> 01:06:32.440